આધાર એ શું છે?keyboard_arrow_down
આધારનો મતલબ ઘણી ભારતીય ભાષાઓમાં "પાયો" થાય છે, જે શબ્દ યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાતા અનોખા ઓળખ ક્રમાંક માટે ઉપયોગમાં લેવાય છે
તેને વ્યક્તિગત બાયોમેટ્રિક્સ સાથે લિંક કરાયો હોવાથી કોઈ નિવાસીનો ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે, માટે લાભાર્થી યોજનામાં થતા લીકેજ અને બોગસ ઓળખને તેનાથી ઓળખી શકાશે.
આધાર-આધારિત ઓળખ થકી ડુપ્લિકેટ અને બનાવટીને નાબૂદ કરવાથી સરકારને તે લાભોને અન્ય લાયક નિવાસીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
આધારના ફીચર્સ અને લાભો કયા છે?keyboard_arrow_down
એક આધાર: આધાર અનોખો નંબર છે, અને કોઈ નિવાસી પાસે ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે કારણ કે તેને તેમના વ્યક્તિગત બાયોમેટ્રિક્સ સાથે જોડાયો છે, માટે કોઈ નિવાસીનો ડુપ્લિકેટ નંબર ન હોઈ શકે, માટે લાભાર્થી યોજનામાં થતા લીકેજ અને બોગસ ઓળખને તેનાથી ઓળખી શકાશે. આધાર-આધારિત ઓળખ થકી ડુપ્લિકેટ અને બનાવટીને નાબૂદ કરવાથી સરકારને તે લાભોને અન્ય લાયક નિવાસીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.
પોર્ટેબિલિટી: આધાર એક યુનિવર્સલ નંબર છે, અને એજન્સીઓ તથા સેવાઓ લાભાર્થીની ઓળખની પુષ્ટિ માટે દેશમાં કોઈ પણ સ્થળેથી સેન્ટ્રલ યુનિક આઈડેન્ટિફિકેશન ડેટાબેઝનો સંપર્ક કરી શકે છે.
કોઈ પ્રવર્તમાન ઓળખ દસ્તાવેજો વિનાના લોકોને ઓળખવા: ગરીબો અને સીમાંત લોકોને લાભો પહોંચાડવામાં એક સમસ્યા તેમની પાસે ઓળખના દસ્તાવેજોની અનુપલબ્ધિ હોય છે જેથી તેઓ સરકારી લાભો મેળવી શકે, યુઆઈડીએઆઈ માટે ડેટાની ખરાઈ માટે "ઓળખ આપનાર"ની પ્રણાલિ લાગુ કરાતા આવા નિવાસીઓ ઓળખ સ્થાપિત કરી શકશે.
લાભની ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફર: યુઆઈડી-ચલિત બેંક-ખાતાનું નેટવર્ક એક સુરક્ષિત અને ઓછા ખર્ચનો મંચ પૂરો પાડે છે જેથી લાભોને સીધા નિવાસીઓ સુધી કોઈ વધુ ખર્ચ કર્યા વિના પહોંચાડી શકાય અને તેના પગલે હાલની પ્રણાલિમાં રહેલા લીકેજને પણ દૂર કરી શકાશે.
આધાર-આધારિત પ્રમાણભૂતતા દ્વારા લાભાર્થીઓને તેના લાભોની આપૂર્તિ: યુઆઈડીએઆઈ દ્વારા નિવાસીની ઓળખને પ્રસ્થાપિત કરવા ઈચ્છતી એજન્સીઓ માટે ઓનલાઈન ઓથેન્ટિકેશન સર્વિસ ઓફર કરાય છે. વધેલી પારદર્શિતા દ્વારા સુધરેલી સેવાઃ સ્પષ્ટ જવાબદેહિતા અને પારદર્શી નિરીક્ષણ થકી લાભાર્થીઓ અને એજન્સીઓ બંનેમાં હકપાત્રતાની પહોંચ અને ગુણવત્તામાં સુધારો થશે.
સેલ્ફ- સર્વિસથી નિવાસી નિયંત્રણમાં રહે છે: : આધારનો ઓળખની પ્રણાલિ તરીકે ઉપયોગ કરવાથી નિવાસી તેમની હકપાત્રતા, માગની સેવાઓને લગતી અપ-ટુ-ડેટ માહિતી સુધી સીધી પહોંચ મેળવી શકે છે અને તેમના મોબાઈલ ફોન, કિઓસ્ક તથા અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને તેમની તકરારોનું નિવારણ કરાવી શકે છે. નિવાસીના મોબાઈલ પર સેલ્ફ સર્વિસને કારણે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને સુરક્ષાને નિશ્ચિત કરી શકાય છે (એટલે કે નિવાસીના નોંધાયેલા મોબાઈલ નંબરનું પઝેશન પૂરવાર કરવાની સાથે નિવાસીના આધાર પિનનું જ્ઞાન). આ માપદંડો મોબાઈલ બેન્કિંગ અને પેમેન્ટ માટે ભારતીય રિઝર્વ બેંકના મંજૂર કરાયેલા માપદંડોને અનુરૂપ છે.
શું આધાર મેળવવો ફરજિયાત છે?keyboard_arrow_down
કોઈ પણ વ્યક્તિ આધાર માટે અરજી કરી શકે છે. આ પ્રકારે જ લાભો અને સેવાઓ પૂરી પાડતી એજન્સીઓ પણ તેમની સિસ્ટમમાં આધારનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે અને તેના માટે તેમણે તેમના ગ્રાહકો અથવા લાભાર્થીઓ પાસે ફક્ત તેમના આધાર જ પૂરા પાડવા માગી શકે છે.
આધાર મેળવવા કોઈ પણ વ્યક્તિએ કઈ માહિતી આપવી જરૂરી છે?keyboard_arrow_down
જરૂરી જનસાંખ્યિક માહિતી:
નામ
જન્મની તારીખ
જાતિ
સરનામું
માતાપિતા/ વાલીની વિગતો (બાળકો માટે જરૂરી, પુખ્તો પણ આપી શકે)
ફોન અને ઈમેઈલની સંપર્ક વિગતો (વૈકલ્પિક)
જરૂરી બાયોમેટ્રિક વિગતો:
ફોટો
10 આંગળાની છાપ
આઈરિસ
યુઆઈડીએઆઈ દ્વારા જનસાંખ્યિક ડેટાના માપદંડો અને વેરિફિકેશન પ્રક્રિયા સમિતિ સ્થપાઈ છે જેના ચેરમેન શ્રી એન વિટ્ટલ છે જે યુઆઈડીએઆઈ દ્વારા એકત્રિત કરાનારા ડેટાના ખાના તથા ત્યારપછીની વેરિફિકેશન પ્રક્રિયાની વ્યાખ્યા કરે છે. ડેટા સ્ટાન્ડર્ડ કમિટિએ 9 ડિસેમ્બર, 2009ના રોજ તેનો અહેવાલ સુપરત કરી દીધો હતો. આ સંપૂર્ણ અહેવાલ documents/UID_DDSVP_Committee_Report_v1.0.pdf. ખાતે ઉપલબ્ધ છે. યુઆઈડીએઆઈ દ્વારા નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના મહાનિર્દેશક ડૉ. બી કે ગૈરોલાની ચેરમેનશીપ હેઠળ બાયોમેટ્રિક્સ સ્ટાન્ડર્ડ કમિટિ પણ સ્થાપી છે જે કેપ્ચર કરવા જરૂરી બાયોમેટ્રિક ડેટાના માપદંડ અને પ્રકારની વ્યાખ્યા કરે છે. બાયોમેટ્રિક્સ સ્ટાન્ડર્ડ કમિટિનો અહેવાલ 7 જાન્યુઆરી, 2010ના રોજ સુપરત કરાયો હતો અને તે
/documents/Biometrics_Standards_Committee_report.pdf પર ઉપલબ્ધ છે.
કેવી રીતે કોઈ વ્યક્તિની જન્મની તારીખની ખરાઈ કરી શકાય?keyboard_arrow_down
ડીડીએસવીપી કમિટિના અહેવાલ મુજબ, આધાર ડેટાબેઝમાં એક ફ્લેગ જળવાય છે જે દર્શાવે છે કે જન્મની તારીખની (ડીઓબી) ખરાઈ થઈ છે, જાહેર કરાયેલ છે કે આશરે છે. ચોક્કસ ડીઓબી જાણીતી ન હોય તો નિવાસીને ફક્ત વય સૂચવવા કહેવાય છે. નોંધણી સોફ્ટવેરમાં વયને કેપ્ચર કરીને તમારા જન્મના વર્ષની ગણતરી કરવાની જોગવાઈ છે.
શું રજિસ્ટ્રાર ઓળખ આપનારને પછીથી ઉમેરી / દૂર કરી શકે છે?keyboard_arrow_down
હા, રજિસ્ટ્રાર પછીના તબક્કે ઓળખ આપનારને ઉમેરી/ દૂર કરી/ સુધારી શકે છે. ઓળખ આપનારની કામગીરીના ભાગને પણ પછીથી સુધારી શકાય છે. યુઆઈડીએઆઈ દ્વારા રજિસ્ટ્રારને ઓળખ આપનારની સમીક્ષા કરનારની પ્રવર્તમાન ધોરણે સમીક્ષા કરવા અને જરૂર હોય તે રીતે યાદીમાં ફેરફાર કરવા પ્રેરિત કરે છે.
યુઆઈડીએઆઈ કેવી રીતે જે-તે વ્યક્તિ અને તેમની માહિતીને સુરક્ષિત રાખે છે?keyboard_arrow_down
જે-તે વ્યક્તિ અને તેની માહિતીની સુરક્ષા યુઆઈડી પ્રોજેક્ટની ડિઝાઈનને વારસામાં મળી છે. અડસટ્ટે નંબરની ફાળવણી થવાથી નીચે દર્શાવેલી અન્ય કોઈ લાક્ષણિકતાઓ સંબંધે કોઈ વ્યક્તિની કોઈ માહિતી અપાતી નથી, અને આ હેતુસર જ યુઆઈડી દ્વારા જે-તે નિવાસીના હિતોને સંપૂર્ણપણે જાળવે છે.
મર્યાદિત માહિતીનું એકત્રીકરણ: યુઆઈડીએઆઈ દ્વારા ફક્ત આધાર જારી કરવા અને આધાર ધારકની ઓળખની પુષ્ટિ માટે જ ડેટા એકત્રિત કરાય છે. નામ, જન્મની તારીખ, જાતિ, સરનામું, બાળકોના સંજોગોમાં આવશ્યક માતા-પિતા/ વાલીનું નામ અને બીજા માટે નહીં, મોબાઈલ નંબર અને વૈકલ્પિક રીતે ઈમેલ આઈડી જેવી ઓળખ પ્રસ્થાપિત કરનારી વિગતો એકત્ર કરીને બેઝિક ડેટાના ખાના યુઆઈડીએઆઈ ભરે છે. યુઆઈડીએઆઈ દ્વારા અનોખાપણું પ્રસ્થાપિત કરવા બાયોમેટ્રિક વિગતો એકત્રિત કરાય છે, અને આ કારણે જ ફોટો, 10 આંગળા અને આઈરિસ એકત્ર કરાય છે.
કોઈ પ્રોફાઈલિંગ અને ટ્રેકિંગ માહિતી એકત્ર કરાતી નથી: યુઆઈડીએઆઈની નીતિ હેઠળ ધર્મ, જાતિ, સમુદાય, વંશીયપણા, આવક અને આરોગ્ય જેવી સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમ કોઈ પણ વ્યક્તિની પ્રોફાઈલ યુઆઈડી સિસ્ટમ હેઠળ તૈયાર કરવી શક્ય નથી, કારણ કે અહીં એકત્ર કરાતો ડેટા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની જરૂરિયાત પૂરતો મર્યાદિત છે. યુઆઈડીએઆઈ દ્વારા વાસ્તવમાં, માહિતીની આરંભિક યાદીમાંથી જન્મસ્થળના ડેટાને પણ પડતો મૂકાયો છે અને તે હવે સીએસઓ પાસેથી ફીડબેકના આધારે તેને એકત્ર કરવા ધારે છે જેના થકી તે પ્રોફાઈલિંગ કરી શકે. યુઆઈડીએઆ દ્વારા કોઈ વ્યક્તિના વ્યવહારોની વિગતો પણ એકત્ર કરાતી નથી. કોઈ પણ વ્યક્તિની ઓળખની આધાર થકી પુષ્ટિ ફક્ત તે પુષ્ટિ પુરતું જ પરાવર્તન કરે છે. આ મર્યાદિત માહિતીને નિવાસીના હિતમાં જ કોઈ તકરારના નિવારણ માટે થોડાક સમય પૂરતી જાળવી રખાશે.
માહિતીને જારી કરવી- ફક્ત હા કે ના જવાબ: યુઆઈડીએઆઈ આધાર ડેટાબેઝમાંથી કોઈ અંગત માહિતી આપી શકે તેમ નથી અને ઓળખની ખરાઈની વિનંતીના જવાબમાં ફક્ત હા કે ના કહી શકે છે.
આમાં ફક્ત રાષ્ટ્રહિતમાં અદાલતના આદેશ, અથવા સંયુક્ત સચિવના આદેશને અપવાદ અપાયો છે. આ વાજબી અપવાદ એકદમ સ્પષ્ટ છે. આ અભિગમ યુએસ અને યુરોપમાં કોઈ સુરક્ષા જોખમના સંજોગોમાં ડેટા સુધી પહોંચ માટેના સુરક્ષા નિયમોને અનુરૂપ જ બનાવાયો છે.
ડેટા રક્ષણ અને ગોપનીયતા: યુઆઈડીએઆઈ એકત્રિત ડેટાની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આ ડેટાને યુઆઈડીએઆઈ દ્વારા અપાયેલા સોફ્ટવેર પર એકત્રિત કરીને એન્ક્રિપ્ટ કરાશે જેથી પરિવહન દરમિયાન લીક ન થાય. માહિતી તાલીમબદ્ધ અને પ્રમાણિત નોંધણીકર્તા દ્વારા એકત્રિત કરાય છે, જેમની એકત્રિત કરાતા ડેટા સુધી કોઈ પહોંચ હોતી નથી. યુઆઈડીએઆઈ એક સર્વગ્રાહી સુરક્ષા નીતિ ધરાવે છે જેથી તેના ડેટાની સુરક્ષા અને અખંડતા જાળવી શકાય. તે આના વિશે વધુ વિગતો પ્રકાશિત કરશે, જેમાં માહિતી સુરક્ષા પ્લાન અને સીઆઈડીઆર માટેની નીતિઓ તેમજ યુઆઈડીએઆઈ અને તેની કોન્ટ્રાક્ટેડ એજન્સીઓ દ્વારા કાયદાના અનુસરણના ઓડિટિંગ માટેની પ્રણાલિનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા અને સંગ્રહના પ્રોટોકોલ્સ અમલમાં રહેશે. કોઈ પણ સુરક્ષા ભંગ માટે કઠોર દંડ લદાશે અને તેમાં ઓળખની માહિતી જાહેર કરવા પરના દંડનો પણ સમાવેશ કરાશે. હેકિંગ સહિત સીઆઈડીઆર સુધી અનધિકૃત પહોંચ માટે પણ દંડનીય પરિણામો ભોગવવાના રહેશે તેમજ સીઆઈડીઆરના ડેટા સાથે ચેડાંની પણ સજા થશે.
યુઆઈડીએઆઈ માહિતીને અન્યત્ર વાળવી તથા અન્ય ડેટાબેઝ સાથે લિંક કરવી: યુઆઈડી ડેટાબેઝ અન્ય કોઈ ડેટાબેઝ સાથે લિંક થયો નથી અથવા અન્ય ડેટાબેઝમાં તેની કોઈ માહિતી નથી. તેનો એકમાત્ર હેતુ કોઈ સેવાની પ્રાપ્તિના સમયે જે-તે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે, અને તે પણ આધાર ધારકની સંમતિ સાથે. યુઆઈડી ડેટાબેઝનું બંને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઉચ્ચ મંજૂરી ધરાવનારી ચુનંદા વ્યક્તિઓ દ્વારા રક્ષણ કરાશે. યુઆઈડી સ્ટાફના ઘણા સભ્યોની પણ ત્યાં સુધી પહોંચ નહીં હોય અને શ્રેષ્ઠ એન્ક્રિપ્શન સાથે તેને અત્યંત સુરક્ષિત વોલ્ટમાં સુરક્ષિત રખાશે. તમામ પહોંચની વિગતોને યોગ્ય રીતે લોગ કરાશે
"જો નિવાસી તેના આધાર નંબરને ખોટી રીતે મૂકે તો શું?keyboard_arrow_down
a) નિવાસી આધાર સેવાનો ઉપયોગ કરીને તેનો આધાર નંબર શોધી શકે છે - https://myaadhaar.uidai.gov.in/ પર ઉપલબ્ધ ખોવાયેલ UID/EID પુનઃપ્રાપ્ત કરો b) નિવાસી 1947 પર કૉલ કરી શકે છે જ્યાં અમારો સંપર્ક કેન્દ્ર એજન્ટ તેનો/તેણીનો EID નંબર મેળવવામાં મદદ કરશે. નિવાસી વધુ આ EID નો ઉપયોગ રેસિડેન્ટ પોર્ટલ - eAadhaar પરથી તેનું eAadhaar ડાઉનલોડ કરવા માટે કરી શકે છે. d) નિવાસી 1947 પર કૉલ કરીને IVRS સિસ્ટમ પર EID નંબર પરથી તેનો આધાર નંબર પણ મેળવી શકે છે"
જો આધાર પત્ર કોઈ નિવાસીને વિતરિત ન થાય તો શું?keyboard_arrow_down
જો રહેવાસીઓને આધાર પત્ર ન મળે, તો તેઓએ તેમના એનરોલમેન્ટ નંબર સાથે યુઆઈડીએઆઈ સંપર્ક કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા https://myaadhaar.uidai.gov.in/CheckAadhaarStatus પર ઓનલાઈન આધારની સ્થિતિ તપાસી શકે છે. દરમિયાન નિવાસી ઈ-આધાર ડાઉનલોડ કરી શકે છે.
"મારી નોંધણી થયા પછી, મારો આધાર પત્ર મેળવવામાં કેટલો સમય લાગશે? અને હું મારો આધાર પત્ર કેવી રીતે મેળવી શકું?keyboard_arrow_down
આધાર નિર્માણમાં 90 દિવસ જેટલો સમય લાગી શકે છે. આધાર પત્ર સામાન્ય પોસ્ટ દ્વારા નિવાસીના નોંધાયેલા સરનામે પહોંચાડવામાં આવે છે. "
"મેં તાજેતરમાં જ મારું આધાર અપડેટ કર્યું છે. શું તમે તેને ઝડપી કરી શકશો?keyboard_arrow_down
મને તેની તાત્કાલિક જરૂર છે. આધાર અપડેટની એક નિશ્ચિત પ્રક્રિયા છે જે વિનંતીની તારીખથી 90 દિવસ સુધી લે છે. અપડેટ પ્રક્રિયા બદલી શકાતી નથી. મહેરબાની કરી રાહ જુવો. તમે https://myaadhaar.uidai.gov.in/ પરથી સ્ટેટસ ચેક કરી શકો છો"
"મેં અગાઉ આધાર માટે અરજી કરી હતી પરંતુ તે મળી ન હતી. તેથી, મેં ફરીથી અરજી કરી. મને મારું આધાર ક્યારે મળશે?keyboard_arrow_down
જો તમારું આધાર પ્રથમ નોંધણીથી જનરેટ થયું હોય તો ફરીથી નોંધણી કરવાનો દરેક પ્રયાસ નકારવામાં આવશે. ફરીથી અરજી કરશો નહીં. તમે તમારો આધાર પુનઃપ્રાપ્ત કરી શકો છો: (a) https://myaadhaar.uidai.gov.in/ પર ઉપલબ્ધ EID/UID સેવા પુનઃપ્રાપ્તિનો ઉપયોગ કરીને ઑનલાઇન (જો તમારી પાસે નોંધાયેલ મોબાઇલ નંબર હોય તો) (b) કાયમી નોંધણી કેન્દ્રની મુલાકાત લઈને (c) 1947 ડાયલ કરીને"
"આધાર પીવીસી કાર્ડ શું છે? keyboard_arrow_down
શું તે કાગળ આધારિત લેમિનેટેડ આધાર પત્રની સમકક્ષ છે? આધાર PVC કાર્ડ એ PVC આધારિત આધાર કાર્ડ છે જેને નજીવા ચાર્જ ચૂકવીને ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે. હા. આધાર PVC કાર્ડ કાગળ આધારિત આધાર પત્રની સમકક્ષ છે."
કોઈ નિવાસીને નકારીને યુઆઈડીએઆઈ દ્વારા આધાર જારી ન કરાય તો શું?keyboard_arrow_down
અરજી નકારવાનું કારણ તેમજ તે ભૂલ સુધારવાનાં પગલાંની પણ રજિસ્ટ્રાર અને નિવાસી બંનેને જાણ કરવામાં આવશે.
આધારપત્ર વિભાગ- જો કોઈ નિવાસીથી આધારપત્ર ગેરવલ્લે થઈ જાય /પોતાનો આધાર ભૂલી જાય તો શું?keyboard_arrow_down
નિવાસી આ માટે નોંધણી ક્રમાંક સાથે સંપર્ક કેન્દ્રનો (ફોન /પોર્ટલ /ઈમેઈલ દ્વારા) સંપર્ક કરી શકે છે અને આધારને દર્શાવતો નવો પત્ર મોકલવા વિનંતી કરી શકે છે.
જો કોઈ નિવાસીનો આધાર ક્રમાંક ગેરવલ્લે થઈ જાય તો?keyboard_arrow_down
a) નિવાસી આધાર સેવા - Retrieve Lost UID/EIDનો ઉપયોગ કરીને પોતાનો આધાર ક્રમાંક મેળવી શકે છે
b) નિવાસી 1947 પર કોલ કરી શકે છે જ્યાં અમારા સંપર્ક કેન્દ્ર એજન્ટ તેમને તેમનું ઈઆઈડી મેળવવામાં મદદ કરશે. ત્યારબાદ નિવાસી આ ઈઆઈડીનો ઉપયોગ કરીને રેસિડેન્ટ પોર્ટલ - eAadhaarપરથી પોતાનો ઈઆધાર ડાઉનલોડ કરી શકે છે.
d) નિવાસી 1947 પર કોલ કરીને પણ આઈવીઆરએસ પ્રણાલિ પર પોતાના ઈઆઈડી નંબરમાંથી પોતાનો આધાર નંબર મેળવી શકે છે.
આધારપત્રની નિવાસીને ડિલિવરી ન કરાય તો?keyboard_arrow_down
જો નિવાસીને આધારપત્ર ન મળે તો તેણે પોતાના નોંધણી ક્રમાંકમાંથી યુઆઈડીએઆઈ સંપર્ક કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તેhttps://resident.uidai.gov.in/check-aadhaarપર આધાર દરજ્જાને ચકાસી શકે છે
કોઈ નિવાસીની આધાર નોંધણી સ્લિપમાં (96 કલાકની સુધારણા વિન્ડો) જોડણીની ભૂલ હોય કે અન્ય જનસાંખ્યિક ક્ષતિ હોય તો તેણે શું કરવું જોઈએkeyboard_arrow_down
નોંધણી દરમિયાન જ્યારે ડેટા એન્ટર થતો હોય છે તે સમયે આવી ક્ષતિઓને શોધીને તેને સુધારવાની નિવાસીને તક મળે છે. ત્યારબાદ નોંધણી વિનંતીને નિર્ધારિત કરતા તેમજ નોંધણી એકનોલેજમેન્ટને પ્રિન્ટ કરતાં પહેલાં પણ નિવાસીને વધુ એક તક મળે છે. આ બંને તક ચૂકી જવાય તો નિવાસી સંલગ્ન પૂરાવા અને નોંધણી સ્લિપની સાથે નોંધણીના 96 કલાકમાં નોંધણી કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.
મારી નોંધણી કરાયા બાદ, મને આધારપત્ર મળતા કેટલો સમય લાગશે? અને હું કેવી રીતે મારો આધારપત્ર મેળવી શકીશ?keyboard_arrow_down
આધાર સર્જનમાં 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. આધારપત્રની ડિલિવરી ટપાલથી થશે. એકવાર આધારનું સર્જન થઈ જાય એટલે તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ મળશે (જો નોંધણી વેળાએ મોબાઈલ નંબર પૂરો પડાયો હશે).
મેં તાજેતરમાં જ મારા આધારમાં સુધારો કરાવ્યો હતો. પરંતુ તે દર્શાવે છે કે મેન્યુઅલ ચકાસણી થઈ રહી છે. તે ક્યારે અપડેટ થશે?keyboard_arrow_down
આધાર અપડેટ કરવામાં 90 દિવસ સુધ લાગી શકે છે. જો તમારી અપડેટની વિનંતી 90 કરતા જૂની હોય, તો કૃપા કરીને 1947 (ટોલ ફ્રી) ડાયલ કરો અથવા This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર ઈમેઈલ કરી વધુ સહાય મેળવો.
મેં તાજેતરમાં જ મારો આધાર અપડેટ કરાવ્યો હતો. શું તમે તેની પ્રક્રિયા ઝડપી બનાવી શકો? મને તેની તાત્કાલિક જરૂર છે.keyboard_arrow_down
આધાર સુધારણા એ નિશ્ચિત પ્રક્રિયા છે જેમાં વિનંતીની તારીખથી 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. અપડેશનની પ્રક્રિયાને ફેરવી શકાતી નથી. કૃપા કરીને રાહ જુઓ. તમે હાલની સ્થિતિને https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatusપર જઈને ચકાસી શકો છો.
મેં અગાઉ આધાર માટે અરજી કરી હતી પણ તે મને મળ્યું નથી. માટે, મેં ફરી અરજી કરી છે તો મને મારું આધાર ક્યારે મળશે?keyboard_arrow_down
જો તમારી પ્રથમ નોંધણી વેળાએ જ આધારનું સર્જન થયું હશે તો તેની પુનઃનોંધણીના તમામ પ્રયાસો નકારાશે. માટે ફરી અરજી કરશો નહીં. તમે તમારું આધાર પરત મેળવી શકો છો:
(a) ઓનલાઈન https://resident.uidai.gov.in/lost-uideid પર જઈને (જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય)
(b) કાયમી નોંધણી કેન્દ્રમાં જઈને
(c) 1947 પર કોલ કરીને
આધાર સ્માર્ટકાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ શું છે? શું સેવા મેળવવા તે ફરજિયાત છે?keyboard_arrow_down
સ્માર્ટ આધારકાર્ડ જેવી કોઈ ચીજ નથી. યુઆઈડીએઆઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલો આધાર અથવા આધારપત્ર જ આધારનું માન્ય અને પર્યાપ્ત સ્વરૂપ છે. આધાર સંબંધિત સેવાઓ માટે ફક્ત અધિકૃત સામાન્ય સેવા કેન્દ્રો અથવા આધાર કાયમી નોંધણી કેન્દ્રોની મુલાકાત લેવી. વધુ માહિતી માટે કૃપા કરીને આ અખબારી યાદી જુઓ: https://goo.gl/TccM9f
હું કેવી રીતે પાનને આધાર સાથે જોડી શકું?keyboard_arrow_down
તમે તમારા પાનને નીચેની પ્રક્રિયા દ્વારા આધાર સાથે જોડી શકો છો:
a) ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો - https://incometaxindiaefiling.gov.in/
b)તેની પર નોંધણી કરાવો (જો કરાવી ન હોય). તમારો પાન (પરમેનેન્ટ એકાઉન્ટ નંબર) તમારું યુઝર આઈડી રહેશે.
c) યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મની તારીખ એન્ટર કરીને લોગિન કરો.
d) એક પોપઅપ વિન્ડો દેખાશે, જે તમને તમારા પાનને આધાર સાથે લિંક કરવા કહેશે. જો તેમ ન થાય તો મેનુમાં ‘પ્રોફાઈલ સેટિંગ્સ’માં જાવ અને ‘લિંક આધાર’ પર ક્લિક કરો.
e) નામ, જન્મની તારીખ અને જાતિ જેવી વિગતો પાન વિગતો અનુસાર ઉલ્લેખિત કરાયેલી જ રહેશે.
f) તમારા આધારમાં ઉલ્લેખ કરાયા મુજબ સ્ક્રીન પરની પાનની વિગતોની ખરાઈ કરો. કૃપા કરીને નોંધ લેશો કે વિગતો ભિન્ન હોય, તો તમારે તેમાંના એક દસ્તાવેજમાં તેને સુધારવાની રહેશે.
g) વિગતો મેળ ખાતી હોય તો તમારો આધાર નંબર એન્ટર કરો અને “લિંક નાઉ” બટન પર ક્લિક કરો.
h) એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારા આધારને તમારા પાન સાથે સફળતાપૂર્વક લિંક કરી દેવાયો છે
i) તમારા પાનને આધાર સાથે લિંક કરવા તમે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in/ પર પણ જઈ શકો છો.
નિવાસીના ગોપનીયતાના અધિકારના રક્ષણ માટે કઈ ગોપનીયતા રક્ષણ પ્રણાલિ અમલમાં છે?keyboard_arrow_down
વ્યક્તિગત તેમજ તેમની માહિતીની સુરક્ષા એ યુઆઈડી પ્રોજેક્ટની ડિઝાઈનમાં વારસામાં મળી છે. અડસટ્ટે નંબરની ફાળવણી થવાથી નીચે દર્શાવેલી અન્ય કોઈ લાક્ષણિકતાઓ સંબંધે કોઈ વ્યક્તિની કોઈ માહિતી અપાતી નથી, અને આ હેતુસર જ યુઆઈડી દ્વારા જે-તે નિવાસીના હિતોને સંપૂર્ણપણે જાળવે છે.
- મર્યાદિત માહિતીનું એકત્રીકરણ
યુઆઈડીએઆઈ ફક્ત પાયાગત ડેટા માહિતી મેળવે છે- નામ, જન્મની તારીખ, જાતિ, સરનામું, માતાપિતા/ વાલીનો (બાળકો માટે જ નામ જરૂરી અન્યથા નહીં) ફોટો, 10 આંગળાની છાપ અને આઈરિસ સ્કેન. - કોઈ પ્રોફાઈલિંગ અને ટ્રેકિંગ માહિતી એકત્ર કરાતી નથી
યુઆઈડીએઆઈની નીતિ હેઠળ ધર્મ, જાતિ, સમુદાય, વંશીયપણા, આવક અને આરોગ્ય જેવી સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમ કોઈ પણ વ્યક્તિની પ્રોફાઈલ યુઆઈડી સિસ્ટમ હેઠળ તૈયાર કરવી શક્ય નથી. - માહિતીને જારી કરવી- ફક્ત હા કે ના દ્વારા જવાબ
યુઆઈડીએઆઈ આધાર ડેટાબેઝમાં અંગત માહિતી જાહેર કરતું નથી- તેમાં ફક્ત હા કે ના દ્વારા જવાબ આપીને ઓળખ પ્રસ્થાપિત કરાય છે. - મેળવણી અને અન્ય ડેટાબેઝ સાથે યુઆઈડીએઆઈ માહિતીનું લિન્કિંગ
યુઆઈડી ડેટાબેઝ અન્ય કોઈ ડેટાબેઝ સાથે લિંક થયો નથી અથવા અન્ય ડેટાબેઝમાં તેની કોઈ માહિતી નથી. તેનો એકમાત્ર હેતુ કોઈ સેવાની પ્રાપ્તિના સમયે જે-તે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે, અને તે પણ આધાર ધારકની સંમતિ સાથે. યુઆઈડી ડેટાબેઝનું બંને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઉચ્ચ મંજૂરી ધરાવનારી ચુનંદા વ્યક્તિઓ દ્વારા રક્ષણ કરાશે.
યુઆઈડી સ્ટાફના ઘણા સભ્યોની પણ ત્યાં સુધી પહોંચ નહીં હોય અને શ્રેષ્ઠ એન્ક્રિપ્શન સાથે તેને અત્યંત સુરક્ષિત વોલ્ટમાં સુરક્ષિત રખાશે. તમામ પહોંચની વિગતોને યોગ્ય રીતે લોગ કરાશે.
યુઆઈડીએઆઈ દ્વારા ડેટા અને ગોપનીયતાના રક્ષણ માટે કયા પગલાં લેવાયા છે?keyboard_arrow_down
યુઆઈડીએઆઈ એકત્ર કરાયેલા ડેટાની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા ફરજબદ્ધ છે. આ ડેટાને યુઆઈડીએઆઈ દ્વારા અપાયેલા સોફ્ટવેર પર એકત્રિત કરીને એન્ક્રિપ્ટ કરાશે જેથી પરિવહન દરમિયાન લીક ન થાય. માહિતી તાલીમબદ્ધ અને પ્રમાણિત નોંધણીકર્તા દ્વારા એકત્રિત કરાય છે, જેમની એકત્રિત કરાતા ડેટા સુધી કોઈ પહોંચ હોતી નથી. યુઆઈડીએઆઈ એક સર્વગ્રાહી સુરક્ષા નીતિ ધરાવે છે જેથી તેના ડેટાની સુરક્ષા અને અખંડતા જાળવી શકાય. તે આના વિશે વધુ વિગતો પ્રકાશિત કરશે, જેમાં માહિતી સુરક્ષા પ્લાન અને સીઆઈડીઆર માટેની નીતિઓ તેમજ યુઆઈડીએઆઈ અને તેની કોન્ટ્રાક્ટેડ એજન્સીઓ દ્વારા કાયદાના અનુસરણના ઓડિટિંગ માટેની પ્રણાલિનો પણ સમાવેશ થશે.
આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા અને સંગ્રહના પ્રોટોકોલ્સ અમલમાં રહેશે. કોઈ પણ સુરક્ષા ભંગ માટે કઠોર દંડ લદાશે અને તેમાં ઓળખની માહિતી જાહેર કરવા પરના દંડનો પણ સમાવેશ કરાશે. હેકિંગ સહિત સીઆઈડીઆર સુધી અનધિકૃત પહોંચ માટે પણ દંડનીય પરિણામો ભોગવવાના રહેશે તેમજ સીઆઈડીઆરના ડેટા સાથે ચેડાંની પણ સજા થશે.
ડેટા સુધી અનધિકૃત પહોંચ અથવા ઠગાઈ વિરુદ્ધ કેવા પ્રકારની સંભવિત સજાની જોગવાઈ કરી છે?keyboard_arrow_down
આ ખરડાની સંભવિત ફોજદારી સજા નીચે મુજબ છે:
- ખોટી જનસાંખ્યિક કે બાયોમેટ્રિક માહિતી પૂરી પાડવી એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.
- આધાર નંબર ધારકની જનસાંખ્યિક અને બાયોમેટ્રિક વિગતને બદલવાનો પ્રયાસ કરવો અથવા બદલીને આધાર ક્રમાંક ધારકની ઓળખ સાથે ચેડાં કરવા એ ગુનો બને છે - જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.
- કોઈ અધિકૃત એજન્સીનો સ્વાંગ રચીને કોઈ નિવાસીની ઓળખને લગતી માહિતી એકત્ર કરવી એ ગુનો બને છે- કોઈ વ્યક્તિ માટે 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ અને કંપની માટે રૂ. 1 લાખ.
- નોંધણી અને પ્રમાણભૂતતા દરમિયાન એકત્ર કરાયેલી માહિતીને જાણીજોઈને કોઈ અનધિકૃત વ્યક્તિને ટ્રાન્સમીટ કરવી એ ગુનો છે- કોઈ વ્યક્તિ માટે 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ અને કંપની માટે રૂ. 1 લાખ.
- સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝિટરી (સીઆઈડીઆર) સુધી અનધિકૃત પહોંચ અને હેકિંગ એ ગુનો છે- 3 વર્ષની કેદ અને રૂ. 1 કરોડનો દંડ.
- સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝિટરીમાં ચેડાં કરવા એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ
- કોઈનો પોતાનો ન હોય તેવા બાયોમેટ્રિક્સને પૂરો પાડવો એ ગુનો છે- જે બદલ 3 વર્ષની કેદ અને રૂ. 10,000નો દંડ.
આધારનો શો ઉપયોગ થઈ શકે? આધાર સક્ષમ કામગીરીઓ કઈ છે? કેવી રીતે કોઈ નિવાસીને આધાર સક્ષમ કામગીરીઓ દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે?keyboard_arrow_down
આધારનો મતલબ થાય પાયો, અને આ કારણે તેનો આધાર સર્જન કરી શકાય તેવી ડિલિવરી પ્રણાલિ પર છે. આધારનો ઉપયોગ એવી કોઈ પણ પ્રણાલિમાં થઈ શકે જેમાં પ્રણાલિ દ્વારા ઓફર કરાતી સેવાઓ/ લાભોને કોઈ નિવાસી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા અને/ અથવા તેની ઓળખ સ્થાપિત કરવામાં આવતી હોય. આધારનો નીચેના કાર્યક્રમોની ડિલિવરી માટે ઉપયોગ કરી શકાય છે:
- આહાર અને પોષણ – જાહેર વિતરણ વ્યવસ્થા, અન્ન સુરક્ષા, મધ્યાહ્ન ભોજન, અદ્યતન બાળ વિકાસ યોજના.
- સશક્તિકરણ – મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી યોજના, સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, ઈન્દિરા આવાસ યોજના, વડાપ્રધાન રોજગાર ગેરન્ટી કાર્યક્રમ
- શિક્ષણ – સર્વ શિક્ષા અભિયાન, શિક્ષણાધિકાર
- સામેલગીરી અને સામાજિક સુરક્ષા – જનની સુરક્ષા યોજના, મુખ્ય આદિવાસી જૂથ વિકાસ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
- આરોગ્ય – રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, જનશ્રી વીમા યોજના, આમ આદમી વીમા યોજના
- સંપત્તિના વ્યવહારો, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ વગેરે સહિતના અન્ય પરચૂરણ ઉદ્દેશો
કેવી રીતે આધાર સરકાર દ્વારા જારી કરાતી અન્ય કોઈ ઓળખથી ભિન્ન છે?keyboard_arrow_down
આધાર એ જીવનપર્યંતનો 12 આંકડાનો અનોખો અડસટ્ટે મળતો નંબર છે જે કોઈ પણ સ્થળેથી આધાર ઓથેન્ટિકેશન મંચનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે ઓનલાઈન ઓળખ કરી શકાય તેવા નિવાસીને અપાય છે. આધાર ઓથેન્ટિકેશન ફક્ત હા કે ના જવાબ આપે છે. આધાર યોજનાનો પ્રાથમિક હેતુ સામાજિક સુરક્ષાના લાભોની ડિલિવરીને સુધારવા તેમજ લીકેજ અને ફંડના ધોવાણને અટકાવવા, બનાવટી અને ડુપ્લિકેટને નાબૂદ કરવા અને પારદર્શિતા તથા જવાબદેહિતા સુધારવાનો છે.
શું સરકારે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે આધાર નંબર રજૂ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે?keyboard_arrow_down
હા, આવકવેરા ધારા, 1961ની કલમ 139એએ તેમજ નાણાં ધારા, 2017માં કરાયેલા ઉલ્લેખ મુજબ આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે આધાર/ આધાર નોંધણી ફોર્મનું નોંધણી આઈડી પ્રસ્તુત કરવું ફરજિયાત છે.
મારી પાસે પાન નંબર છે જેને હું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ દર્શાવું છું. તો પણ શું મારે આધાર નંબર આપવો જરૂરી છે?keyboard_arrow_down
હા, ડિસેમ્બર 2017 પછી આધાર નંબર સાથે લિંક કરાયો ન હોય તેવો પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) ગેરમાન્ય ઠેરવી દેવાશે.
પાન અને આધારમાં મારું નામ અલગ છે. તેના કારણે હું બંનેને લિંક કરી શકતો નથી તો શું કરવું?keyboard_arrow_down
પાન સાથે આધારને લિંક કરવા તમારી જનસાંખ્યિક વિગતો (એટલે કે નામ, જાતિ અને જન્મની તારીખ) મેળ ખાવી જોઈએ.
કરદાતાએ આપેલા આધારમાં નામમાં સહેજ તફાવત હશે તો આધારના વાસ્તવિક ડેટા સાથે તુલના કરતી વેળાએ, આધાર સાથે નોંધાયેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (આધાર ઓટીપી) મોકલાશે. કરદાતાએ એ સુનિશ્ચિત કરવું કે પાન અને આધારમાં જન્મની તારીખ અને જાતિ એક જ હોય.
ભાગ્યે જ એવું બનતું હોય છે કે આધારનું અને પાનનું નામ તદ્દન અલગ હોય છે, અને આવું થયે લિંકિંગ નિષ્ફળ જશે અને કરદાતાને આધાર અથવા પાન ડેટાબેઝમાં નામ બદલવા જણાવાશે.
નોંધ: પાન ડેટા અપડેટ સંબંધિત પૃચ્છા માટે અહીં મુલાકાત લો: https://www.utiitsl.com.
આધાર અપડેટ સંબંધિત માહિતી માટે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઈટ પર જાવઃ www.uidai.gov.in.
હજી પણ લિંકિંગમાં સમસ્યા થાય તો તમને આવકવેરાની સત્તાવાર વેબસાઈટ પર જવા અથવા આઈટી વિભાગની હેલ્પલાઈન પર ફોન કરવા જણાવાય છે.
પાન અને આધારમાં મારી જન્મ તારીખ ભિન્ન છે. હું તેમને લિંક નથી કરી શકતો. કૃપા કરીને મદદ કરો.keyboard_arrow_down
પાન સાથે આધારને લિંક કરવા બંનેમાં તમારી જન્મની તારીખ સુધારવી પડશે. લિંકિંગમાં સમસ્યા ફરી આવે, તો અમારી તમને વિનંતી છે કે આવકવેરા વિભાગના સંપર્કમાં આવો.
મારી પાસે જન્મની તારીખનો કોઈ પૂરાવો નથી. હું કેવી રીતે આધાર અથવા પાનમાં મારી જન્મની તારીખ અપડેટ કરીને લિંકિંગ પૂર્ણ કરી શકું?keyboard_arrow_down
આધારમાં નિવાસી દ્વારા જન્મની તારીખનો દસ્તાવેજી પૂરાવો રજૂ કરાય, તો જન્મની તારીખને “વેરિફાઈડ” ગણાય છે. જ્યારે કોઈ નિવાસી કોઈ દસ્તાવેજી પૂરાવા વિના જન્મની તારીખ ઘોષિત કરે છે તો જન્મની તારીખને “ડિક્લેર્ડ” ગણાય છે.
શું હું આધાર સાથે લિંક ન કરાવું તો મારો પાન બિન-કાર્યક્ષમ બની જશે?keyboard_arrow_down
યુઆઈડીએઆઈ ફક્ત આધાર જારી કરે છે અને તેને પ્રમાણભૂત કરવાના ઉપાયો સૂચવે છે. કોઈ પણ પ્રોડક્ટ કે યોજના સંબંધિત પૃચ્છા માટે અમે આપને સંલગ્ન પ્રોડક્ટ/ સ્કીમના માલિકનો સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ. પાન સંબંધિત પૃચ્છા માટે, તમને વિનંતી છે કે આવકવેરા વિભાગના સંપર્કમાં આવો.
શું ભારતમાં પાન માટે અરજી કરવા માટે આધારમાં નોંધણી કરાવવી ફરજિયાત છે? જો હા, તો એનઆરઆઈ માટેની પ્રક્રિયા કઈ છે?keyboard_arrow_down
નાણાં ધારા, 2017માં પ્રસ્તુત કરાયા મુજબ આવકવેરા ધારા, 1961ની કલમ 139એએ મુજબ 1 જુલાઈ, 2017થી અમલી બને તે રીતે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ અને પરમેનેન્ટ એકાઉન્ટ નંબરની ફાળવણીની અરજી કરવા માટે તેમજ આધાર/ આધાર અરજી પત્રનું નોંધણી આઈડી દર્શાવવું ફરજિયાત છે.
જે વ્યક્તિ આધાર નંબર મેળવવાને પાત્ર હશે તેને જ આધાર અથવા નોંધણી આઈડી રજૂ કરવાનું ફરજિયાત રહેશે.
આધાર (નાણાંકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) ધારા, 2016 અનુસાર, ફક્ત નિવાસી વ્યક્તિ જ આધાર મેળવવાને પાત્ર છે. આ ધારા મુજબ નિવાસીનો મતલબ થાય એવી વ્યક્તિ કે જે આધાર માટે નોંધણી કરાવ્યાની તારીખથી તુરત પહેલાના 12 મહિનામાં 182 દિવસ અથવા વધુ સમયગાળા સુધી સળંગ ભારતમાં નિવાસ કરી ચૂકી હોય.
મેં આધાર માટે નોંધણી કરાવી છે પરંતુ હજી સુધી મને આધાર નંબર મળ્યો નથી, તો શું હું હજી મારું આવકવેરાનું રિટર્ન ફાઈલ કરી શકું?keyboard_arrow_down
હા, તમે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ નોંધણીના સમયે નોંધણી કેન્દ્ર દ્વારા પૂરી પડાયેલી એકનોલેજમેન્ટ/ ઈઆઈડી સ્લિપની અંદર ઉલ્લેખ કરાયેલા ઈઆઈડી નંબરને દર્શાવી શકો છો.
શું એનઆરઆઈ આધાર મેળવી શકે છે?keyboard_arrow_down
આધાર (નાણાંકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) ધારા, 2016 અનુસાર, ફક્ત નિવાસી વ્યક્તિ જ આધાર મેળવવાને પાત્ર છે. આ ધારા મુજબ નિવાસીનો મતલબ થાય એવી વ્યક્તિ કે જે આધાર માટે નોંધણી કરાવ્યાની તારીખથી તુરત પહેલાના 12 મહિનામાં 182 દિવસ અથવા વધુ સમયગાળા સુધી સળંગ ભારતમાં નિવાસ કરી ચૂકી હોય.
હું એક એનઆરઆઈ છું અને મારી પાસે આધાર છે. હું કેવી રીતે મારા પાન સાથે તેને લિંક કરી શકું?keyboard_arrow_down
પાન અને આધાર કાર્ડને લિંક કરવા કરદાતાએ પહેલા ઈન્કમટેક્સની ઈ-ફાઈલિંગ પોર્ટલમાં નોંધણી કરાવવી પડે. એકવાર તેઓ આમ કરે પછી નીચેના પગલાંને અનુસરવાનું રહે છેઃ
- ઈન્કમટેક્સ વિભાગની ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગિન આઈડી, પાસવર્ડ અને જન્મની તારીખ એન્ટર કરીને લોગિન કરો.
- સાઈટ પર લોગિન થયા બાદ એક પોપઅપ વિન્ડો દેખાશે, જે તમને તમારા પાનને આધાર સાથે લિંક કરવા કહેશે.
- ઈ-ફાઈલિંગ પોર્ટલમાં નોંધણી સમયે રજૂ કરાયેલી વિગતો અનુસાર જ નામ, જન્મની તારીખ અને જાતિ જેવી વિગતો પાન વિગતો અનુસાર ઉલ્લેખિત કરાયેલી જ રહેશે.
- તમારા આધારમાં ઉલ્લેખ કરાયા મુજબ સ્ક્રીન પરની પાનની વિગતોની ખરાઈ કરો.
- વિગતો મેળ ખાતી હોય તો તમારો આધાર નંબર એન્ટર કરો અને “લિંક નાઉ” બટન પર ક્લિક કરો.
- એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારા આધારને તમારા પાન કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક કરી દેવાયો છે.
હું એક એનઆરઆઈ છું અને મારી પાસે આધાર નથી. શું એ વાત સાચી છે કે હું 30મી એપ્રિલ સુધીમાં આધાર પ્રસ્તુત નહીં કરું તો મારો પાન બ્લોક કરી દેવાશે?keyboard_arrow_down
આવકવેરા ધારા, 1961ની કલમ 139એએ તેમજ નાણાં ધારા, 2017માં કરાયેલા ઉલ્લેખ મુજબ 1લી જુલાઈ, 2017થી અમલી બને તે રીતે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા તેમજ પરમેનેન્ટ એકાઉન્ટ નંબરની ફાળવણી માટે આધાર/ આધાર નોંધણી ફોર્મનું નોંધણી આઈડી પ્રસ્તુત કરવું ફરજિયાત છે. એવી પણ સ્પષ્ટતા કરાઈ છે કે આધાર અથવા નોંધણી આઈડીને રજૂ કરવાની ફરજિયાત જોગવાઈ ફક્ત એવી વ્યક્તિને જ લાગુ પડશે કે જે આધાર ક્રમાંક મેળવવાને પાત્ર છે. આધાર (નાણાંકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષ્યાંકિત ડિલિવરી) ધારા, 2016 અનુસાર, ફક્ત નિવાસી વ્યક્તિ જ આધાર મેળવવાને પાત્ર છે. આ ધારા મુજબ નિવાસીનો મતલબ થાય એવી વ્યક્તિ કે જે આધાર માટે નોંધણી કરાવ્યાની તારીખથી તુરત પહેલાના બાર મહિનામાં એકસો બ્યાંસી દિવસ અથવા વધુ સમયગાળા સુધી સળંગ ભારતમાં નિવાસ કરી ચૂકી હોય. આ મુજબ, આવક વેરા ધારાની કલમ 139એએ મુજબ આધારને રજૂ કરવાની જરૂરિયાત એવી વ્યક્તિને લાગુ નથી પડતી કે જે આધાર ધારા, 2016 મુજબ નિવાસી ન હોય.
તદુપરાંત જુલાઈ 2017થી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરતી વેળાએ આધાર નંબરની વિગતો ફાઈલ કરવાનું એનઆરઆઈને લાગુ પડતું નથી.
કેવી રીતે યુઆઈડીએઆઈ વ્યક્તિ અને તેને લગતી માહિતીનું રક્ષણ કરે છે?keyboard_arrow_down
જે-તે વ્યક્તિ અને તેની માહિતીની સુરક્ષા યુઆઈડી પ્રોજેક્ટની ડિઝાઈનને વારસામાં મળી છે. અડસટ્ટે નંબરની ફાળવણી થવાથી નીચે દર્શાવેલી અન્ય કોઈ લાક્ષણિકતાઓ સંબંધે કોઈ વ્યક્તિની કોઈ માહિતી અપાતી નથી, અને આ હેતુસર જ યુઆઈડી દ્વારા જે-તે નિવાસીના હિતોને સંપૂર્ણપણે જાળવે છે.
- મર્યાદિત માહિતીનું એકત્રીકરણ
યુઆઈડીએઆઈ દ્વારા ફક્ત આધાર જારી કરવા અને આધાર ધારકની ઓળખની પુષ્ટિ માટે જ ડેટા એકત્રિત કરાય છે. નામ, જન્મની તારીખ, જાતિ, સરનામું, બાળકોના સંજોગોમાં આવશ્યક માતા-પિતા/ વાલીનું નામ અને બીજા માટે નહીં, મોબાઈલ નંબર અને વૈકલ્પિક રીતે ઈમેલ આઈડી જેવી ઓળખ પ્રસ્થાપિત કરનારી વિગતો એકત્ર કરીને બેઝિક ડેટાના ખાના યુઆઈડીએઆઈ ભરે છે. યુઆઈડીએઆઈ દ્વારા અનોખાપણું પ્રસ્થાપિત કરવા બાયોમેટ્રિક વિગતો એકત્રિત કરાય છે, અને આ કારણે જ ફોટો, 10 આંગળા અને આઈરિસ એકત્ર કરાય છે. - કોઈ પ્રોફાઈલિંગ અને ટ્રેકિંગ માહિતી એકત્ર કરાતી નથી:
યુઆઈડીએઆઈની નીતિ હેઠળ ધર્મ, જાતિ, સમુદાય, વંશીયપણા, આવક અને આરોગ્ય જેવી સંવેદનશીલ અંગત માહિતી એકત્ર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આમ કોઈ પણ વ્યક્તિની પ્રોફાઈલ યુઆઈડી સિસ્ટમ હેઠળ તૈયાર કરવી શક્ય નથી, કારણ કે અહીં એકત્ર કરાતો ડેટા ઓળખ પ્રસ્થાપિત કરવા માટેની જરૂરિયાત પૂરતો મર્યાદિત છે. યુઆઈડીએઆઈ દ્વારા વાસ્તવમાં, માહિતીની આરંભિક યાદીમાંથી જન્મસ્થળના ડેટાને પણ પડતો મૂકાયો છે અને તે હવે સીએસઓ પાસેથી ફીડબેકના આધારે તેને એકત્ર કરવા ધારે છે જેના થકી તે પ્રોફાઈલિંગ કરી શકે. યુઆઈડીએઆ દ્વારા કોઈ વ્યક્તિના વ્યવહારોની વિગતો પણ એકત્ર કરાતી નથી. કોઈ પણ વ્યક્તિની ઓળખની આધાર થકી પુષ્ટિ ફક્ત તે પુષ્ટિ પુરતું જ પરાવર્તન કરે છે. આ મર્યાદિત માહિતીને નિવાસીના હિતમાં જ કોઈ તકરારના નિવારણ માટે થોડાક સમય પૂરતી જાળવી રખાશે. - માહિતીને જારી કરવી- ફક્ત હા કે ના જવાબઃ યુઆઈડીએઆઈ આધાર ડેટાબેઝમાંથી કોઈ અંગત માહિતી આપી શકે તેમ નથી અને ઓળખની ખરાઈની વિનંતીના જવાબમાં ફક્ત હા કે ના કહી શકે છે. આમાં ફક્ત રાષ્ટ્રહિતમાં અદાલતના આદેશ, અથવા સંયુક્ત સચિવના આદેશને અપવાદ અપાયો છે. આ વાજબી અપવાદ એકદમ સ્પષ્ટ છે. આ અભિગમ યુએસ અને યુરોપમાં કોઈ સુરક્ષા જોખમના સંજોગોમાં ડેટા સુધી પહોંચ માટેના સુરક્ષા નિયમોને અનુરૂપ જ બનાવાયો છે.
- ડેટા રક્ષણ અને ગોપનીયતા:યુઆઈડીએઆઈ એકત્રિત ડેટાની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. આ ડેટાને યુઆઈડીએઆઈ દ્વારા અપાયેલા સોફ્ટવેર પર એકત્રિત કરીને એન્ક્રિપ્ટ કરાશે જેથી પરિવહન દરમિયાન લીક ન થાય. માહિતી તાલીમબદ્ધ અને પ્રમાણિત નોંધણીકર્તા દ્વારા એકત્રિત કરાય છે, જેમની એકત્રિત કરાતા ડેટા સુધી કોઈ પહોંચ હોતી નથી.
યુઆઈડીએઆઈ એક સર્વગ્રાહી સુરક્ષા નીતિ ધરાવે છે જેથી તેના ડેટાની સુરક્ષા અને અખંડતા જાળવી શકાય. તે આના વિશે વધુ વિગતો પ્રકાશિત કરશે, જેમાં માહિતી સુરક્ષા પ્લાન અને સીઆઈડીઆર માટેની નીતિઓ તેમજ યુઆઈડીએઆઈ અને તેની કોન્ટ્રાક્ટેડ એજન્સીઓ દ્વારા કાયદાના અનુસરણના ઓડિટિંગ માટેની પ્રણાલિનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત ચુસ્ત સુરક્ષા અને સંગ્રહના પ્રોટોકોલ્સ અમલમાં રહેશે. કોઈ પણ સુરક્ષા ભંગ માટે કઠોર દંડ લદાશે અને તેમાં ઓળખની માહિતી જાહેર કરવા પરના દંડનો પણ સમાવેશ કરાશે. હેકિંગ સહિત સીઆઈડીઆર સુધી અનધિકૃત પહોંચ માટે પણ દંડનીય પરિણામો ભોગવવાના રહેશે તેમજ સીઆઈડીઆરના ડેટા સાથે ચેડાંની પણ સજા થશે. - યુઆઈડીએઆઈ માહિતીને અન્યત્ર વાળવી તથા અન્ય ડેટાબેઝ સાથે લિંક કરવી: યુઆઈડી ડેટાબેઝ અન્ય કોઈ ડેટાબેઝ સાથે લિંક થયો નથી અથવા અન્ય ડેટાબેઝમાં તેની કોઈ માહિતી નથી. તેનો એકમાત્ર હેતુ કોઈ સેવાની પ્રાપ્તિના સમયે જે-તે વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે, અને તે પણ આધાર ધારકની સંમતિ સાથે. યુઆઈડી ડેટાબેઝનું બંને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક માધ્યમે ઉચ્ચ મંજૂરી ધરાવનારી ચુનંદા વ્યક્તિઓ દ્વારા રક્ષણ કરાશે. યુઆઈડી સ્ટાફના ઘણા સભ્યોની પણ ત્યાં સુધી પહોંચ નહીં હોય અને શ્રેષ્ઠ એન્ક્રિપ્શન સાથે તેને અત્યંત સુરક્ષિત વોલ્ટમાં સુરક્ષિત રખાશે. તમામ પહોંચની વિગતોને યોગ્ય રીતે લોગ કરાશે.
યુઆઈડી ડેટાબેઝ સુધી કોની પહોંચ રહેશે? કેવી રીતે ડેટાબેઝની સુરક્ષા સુનિશ્ચિત કરાશે?keyboard_arrow_down
- જે નિવાસીઓના આધાર નંબર હશે તેઓ યુઆઈડી ડેટાબેઝમાં સંગ્રહિત પોતાની માહિતી સુધી પહોંચ ધરાવી શકશે.
- સીઆઈડીઆર કામગીરીમાં ડેટાબેઝ સુધી મર્યાદિત પહોંચ માટે કડક નિયમોનું અનુસરણ કરાશે.
- ડેટાબેઝ પોતે જ હેકિંગ તથા અન્ય પ્રકારના સાયબર હુમલા સામે સુરક્ષિત રહેશે.
કેવી રીતે નિવાસની તકરારનું સમાધાન થશે?keyboard_arrow_down
યુઆઈડીએઆઈ દ્વારા તમામ પૃચ્છા અને તકરારોના નિવારણ માટે સંપર્ક કેન્દ્ર સ્થપાશે અને તે સંસ્થા માટે સંપર્કનું એકમાત્ર કેન્દ્ર રહેશે. સંપર્ક કેન્દ્રની વિગતોને નોંધણી શરૂ થશે તેમ-તેમ વેબસાઈટ પર પ્રકાશિત કરાશે.
- આ પ્રણાલિના વપરાશકારો નિવાસીઓ, રજિસ્ટ્રાર્સ તથા નોંધણી એજન્સીઓ હોવાની અપેક્ષા છે.
- નોંધણી કરાવવા ઈચ્છુક કોઈ પણ નિવાસીને નોંધણી ક્રમાંક સાથેનું પ્રિન્ટેડ એકનોલેજમેન્ટ ફોર્મ અપાશે, જે નિવાસીને સંપર્ક કેન્દ્રની કોઈ પણ સંદેશાવ્યવહાર ચેનલ દ્વારા તેની નોંધણીના દરજ્જા વિશે પૃચ્છા કરવા સક્ષમ બનાવશે.
- દરેક નોંધણી એજન્સીને અનોખો કોડ અપાશે જે સંપર્ક કેન્દ્ર સુધી ઝડપી અને કેન્દ્રીત પહંચ પૂરી પાડશે જેમાં ટેકનિકલ હેલ્પડેસ્કનો પણ સમાવેશ થાય છે.
શું કોઈ નિવાસી આધારમાંથી બહાર નિકળી શકે છે?keyboard_arrow_down
દરેક નિવાસી પાસે આધાર માટે નોંધણી જ ન કરાવવાનો પ્રથમ વિકલ્પ છે. આધાર એ સેવા ડિલિવરીનું સાધન છે અને તેને અન્ય કોઈ હેતુસર બનાવાયો નથી. દરેક નિવાસી માટે આધાર અનોખો હોવાથી, તે નોન-ટ્રાન્સફરેબલ છે. જો કોઈ નિવાસી આધારનો ઉપયોગ કરવા ન ઈચ્છે, તો તે નિષ્ક્રિય રહી શકે છે, કારણ કે તેનો ઉપયોગ વ્યક્તિગત ઉપસ્થિતિ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આધારિત છે. જો કે, હાલ આધાર ડેટાબેઝમાંથી બહાર નિકળવાની કોઈ જોગવાઈ નથી, પરંતુ અહીં ફરી એ કહી શકાય કે નિવાસી સિવાય, તેના આધારનો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગ કરી શકાશે નહીં.
શું નિવાસીના ડેટાને આધાર ડેટાબેઝમાંથી સાફ કરી શકાશે?keyboard_arrow_down
અન્ય સરકારી સેવાઓની પ્રાપ્તિમાં થાય છે તે રીતે કોઈ નિવાસી આધાર પ્રાપ્ત કરી લે તે પછી ડેટાબેઝમાંથી તેનો ડેટા સાફ કરવાની કોઈ જોગવાઈ નથી. ડેટાબેઝમાં પ્રવેશનાર દરેક નવા નિવાસીનું તમામ પ્રવર્તમાન નિવાસીઓના રેકર્ડ સાથે ડુપ્લિકેશન ન થાય તે માટે પણ આ ડેટા જરૂરી છે. ફક્ત આ પ્રક્રિયા પૂર્ણ થયે જ આધાર ફાળવાય છે.
"શું mAadhaar નો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો અનિવાર્ય છે?keyboard_arrow_down
ના. ભારતમાં સ્માર્ટફોન ધરાવનાર કોઈપણ વ્યક્તિ mAadhaar એપ ઇન્સ્ટોલ કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. જોકે mAadhaar માં આધાર પ્રોફાઇલ બનાવવા માટે, નોંધાયેલ મોબાઇલ નંબર જરૂરી છે. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના નિવાસી માત્ર થોડી જ સેવાઓ મેળવી શકશે જેમ કે આધાર પીવીસી કાર્ડ ઓર્ડર કરો, નોંધણી કેન્દ્ર શોધો, આધારની ચકાસણી કરો, QR કોડ સ્કેન કરો વગેરે."
"શું mAadhaar એપ દ્વારા આધાર વિગતોને અપડેટ કરવાની કોઈ પ્રક્રિયા છે, જેમ કે DOB, મોબાઈલ નંબર, સરનામું વગેરે અને ઉમેરવાની પૂર્ણ પ્રક્રિયા? keyboard_arrow_down
ના, નામ, DoB, મોબાઈલ નંબર જેવી વસ્તી વિષયક વિગતો અપડેટ કરવાની સુવિધા mAadhaar એપમાં ઉપલબ્ધ નથી. દસ્તાવેજ સુવિધા દ્વારા ફક્ત સરનામાં અપડેટ હાલમાં ઉપલબ્ધ છે. જો કે ડેમોગ્રાફિક્સ અપડેટ ફીચર્સ ભવિષ્યના પ્રકાશનમાં સામેલ થઈ શકે છે."
"મા આધારનો ઉપયોગ ક્યાં કરી શકાય?keyboard_arrow_down
mAadhaar એપ ભારતમાં ગમે ત્યારે ગમે ત્યાં વાપરી શકાય છે. mAadhaar એ વોલેટમાં આધાર કાર્ડ કરતાં વધુ છે. એક તરફ mAadhaar પ્રોફાઇલને માન્ય ID પ્રૂફ તરીકે સ્વીકારવામાં આવે છે અને બીજી બાજુ, નિવાસી તેમના eKYC અથવા QR કોડને સેવા પ્રદાતાઓ સાથે શેર કરવા માટે એપ્લિકેશનમાં સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે જેમણે આધાર સેવાઓ પ્રદાન કરતા પહેલા તેમના ગ્રાહકોની આધાર ચકાસણીની માંગ કરી હતી.
"એપ ખોલવા પર, તમારો પાસવર્ડ વારંવાર દાખલ કરવાથી કેવી રીતે બચવું? keyboard_arrow_down
આધાર ધારકોની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને એપ એપમાં સેવ પાસવર્ડ ફીચર આપતી નથી. તેથી જ્યારે પણ વપરાશકર્તા પ્રોફાઇલ અથવા માય આધારને એક્સેસ કરવા ઈચ્છે ત્યારે તેણે પાસવર્ડ દાખલ કરવો પડશે."
"શું iOS અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર mAadhaarના આધારે સ્પષ્ટીકરણ અને/અથવા કાર્યક્ષમતામાં કોઈ તફાવત છે?keyboard_arrow_down
mAadhaar એપ iOS અને Android બંને ઉપકરણ વપરાશકર્તાઓને સમાન સેવાઓ પ્રદાન કરે છે. ઉપકરણ (iOS, Android) ને ધ્યાનમાં લીધા વિના કાર્યક્ષમતા અને UX સમાન રહે છે."